GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા. 2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું. 4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા. 1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ. 2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો. 3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ. 4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.