GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જનશુધ્ધિ દિવસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તાજેતરમાં ભારતે 7 માર્ચ 2021 ના રોજ ત્રીજો જનશુધ્ધિ દિવસ મનાવ્યો.
2. આ વર્ષની વિષય વસ્તુ ‘‘સેવાભી - રોજગારભી’’ છે.
3. 7500 મું જનશુધ્ધિ કેન્દ્ર મધ્યપ્રદેશના આદિજાતિ લોકોને સમર્પિત કરવામાં આવ્યું.

ફક્ત 1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
COVAX રસી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો રસી પહેલ હેઠળ ઘાના ૨સી મેળવનાર પ્રથમ દેશ બન્યું છે.
2. ઘાના ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી એસ્ટ્રાજેનીકા (AstraZeneca) રસીના 6 લાખ ડોઝ મેળવશે.
3. 90 થી વધારે ઓછી અને મધ્યમ આવક દેશોએ સંયુક્ત રાષ્ટ્રો સમર્થિત COVAX કાર્યક્રમ માટે સહી કરી છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
ફક્ત 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સંસદે બે ટીવી ચેનલો, લોકાભા ટીવી અને રાજ્યસભા ટીવીને સંકલિત ચેનલ ___ માં ભેગી કરી છે.

આપેલ પૈકી કોઈ નહીં
ભારત ટીવી
લોક પ્રશાસન ટીવી
લોકપ્રિય ટીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી.
2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે.
3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે.
4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP