GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?

બરોડા
પાટણ
નાંદોદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી.
2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી.
3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર વિભાગના મહત્ત્વના કાર્યો છે ?
1. વિવિધ સામાજીક આર્થિક પાસાને અનુલક્ષીને સામાજીક - આર્થિક સર્વેક્ષણો તથા વસ્તીગણતરીનો અભ્યાસ કરવો‌.
2. રાજ્ય ઘરેલુ ઉત્પાદન તથા તેને સંલગ્ન એકંદર અંદાજોનું સંકલન કરવું તથા તૈયાર કરવા.
3. વિવિધ સ્તરો પર કાર્યરત વિવિધ આંકડા શાસ્ત્રીય કર્મચારીઓના નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું.
4. જિલ્લા આંકડા શાસ્ત્રીય અધિકારીઓને તકનીકી માર્ગદર્શન પૂરૂં પાડવું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)
1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ
2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા
3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ
4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP