GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે. iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે. ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે. iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે. ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે. iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.