GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે. 2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે. 3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે. 4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે. 2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે. 4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે. 2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.