GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ ની આગાહી ને લગતા નીચેનામાંથી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?
આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. ટૂંકાગાળાની માગની આગાહી મુખ્યત્વે રોજ-બરોજના નિર્ણય લેવા માટે જરૂરી છે.
II. લાંબા ગાળાની માગની આગાહી મુખ્યત્વે વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે જરૂરી છે.
III. માંગની આગાહીની બિન-આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે.
IV. માંગ ની આગાહીની ડેલ્ફી પદ્ધતિ નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે.

I, II અને III
I, II અને IV
II અને IV
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કિસ્સાને સંયુકત પુરવઠો (Composite Supply) ગણવામાં આવશે ?
i. એક પંચતારક હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવતું ચાર દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ જેમાં અલ્પાહાર સામેલ છે.
ii. ટાઈ, ઘડિયાળ, પાકીટ, પેનનું સંયુક્ત પેક જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પુરા પાડવામાં આવતા હોય.
iii. કમ્પ્યુટર મરામતની સેવા જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પુરા પાડવાનો સમાવેશ થાય છે.
iv. કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા જેમાં પ્રવાસનો સમાવેશ થાય છે.

ii, iii અને iv
i, iii અને iv
i & iii
i, ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

I અને III
III અને IV
I અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે
II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે
III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી
IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે

I અને IV
III અને IV
II અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP