GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પધ્ધતિ ટ્રીકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે ?

બેઝીન સિંચાઈ
સરફેસ સિંચાઈ
ફુવારા સિંચાઈ
ટપક સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

I, II, III અને IV
ફક્ત I, II અને IV
ફક્ત I અને II
ફક્ત III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે.
II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે.
III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે.
IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.

ફક્ત I, II અને III
ફક્ત III અને IV
I, II, III અને IV
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ___

સમાંતર કિરણો મોકલે છે.
હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP