GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં હાથ ધરવામાં આવેલી લશ્કરી કવાયત DUSTLIK-II બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ભારત અને ઉઝબેકિસ્તાન દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત છે.
2. આ બે દેશો વચ્ચેની બીજી આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ 2018 માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
3. હાલની કવાયત ઉત્તરાખંડમાં યોજાઈ હતી.
4. આ કવાયતે બંને પક્ષોના આતંકવાદ પ્રતિકાર અને બળવા પ્રતિકાર કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઓપ્ટિકલ ફાઈબર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઓપ્ટિકલ ફાઈબર મોટા ભાગે અવાજનું વહન કરવા માટે વપરાય છે.
2. ઓપ્ટિકલ ફાઈબરમાં સંસેતોનું પ્રસારણ સંપૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા થાય છે.
3. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ દૂરસંચાર અને કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના માધ્યમ તરીકે થાય છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી વિધાનો સાચાં છે ?
1. બ્રિટીશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યાં હતાં.
2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશ્નર પ્રોવીન્સીસ તરીકે જાણીતા થયાં.
3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-C અને ભાગ-D પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં.
4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો.

આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરાષ્ટ્રીય લુનાર સાયન્ટીફીક રીસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે ___ દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી.

ભારત
આપેલ પૈકી કોઈ નહીં
યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી)
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે ધાર્મીક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ તે શરતો છે ?
1. તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય.
2. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ.
3. ને સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP