GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ?
(I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે.
(II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે.
(III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
(II) અને (III)
(I), (II) અને (III)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?
(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.
(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) ખોટું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી.
માત્ર (I) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 29 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ છે કે જે 49 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 20 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 30 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 158 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પરત આપ સમય એ યોજનામાં પ્રારંભિક રોકડ જાવક (રોકાણ)ને વસૂલ કરવાનો સમય છે.
(II) પરત આપ સમયના માપદંડ મુજબ, ઓછો પરત આપ સમય યોજના માટે વધુ ઇચ્છનીય છે.
(III) પરત આપ સમયના માપદંડનો ઉપયોગ કરનાર પેઢી સામાન્ય રીતે મહત્તમ સ્વીકાર્ય પરત આપ સમય સ્પષ્ટ કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(I), (II), (III), (IV)
(IV), (III), (II), (I)
(III), (I), (IV), (II)
(II), (I), (III), (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP