GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. 2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે. 3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. 4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. 2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે. 3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે ? I. રેવા II. વીર હમીરજી III. ધ ગુડ રોડ IV. હેલ્લારો
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો. 2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું. 3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી. 4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.