GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્યક લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકય છે. 2. ફક્ત નોંધાયેલા વકીલો (Advocntes on Record) સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે. ૩. કોઈપણ દીવાની અથવા ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હકૂમત (appellate jurisdiction) હેઠળ આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. 2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. 3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. 4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.