GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બેંકોના રાષ્ટ્રીયકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 2. 1980 માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 3. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત 12 જાહેર ક્ષેત્રની બેંકો છે. 4. તાજેતરમાં એકીકરણો (mergers) થયા બાદ બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જારી કરવામાં આવેલા 9મા વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 149 દેશોમાં ભારતે 139મો ક્રમ પ્રાપ્ત કર્યો. 2. યાદીમાં ફીનલેન્ડ પ્રથમ ક્રમે છે. 3. યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે. 4. યાદીમાં યુ.એસ.એ. પ્રથમ 10 ક્રમમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નહીં.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગૌતમ બુધ્ધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે વારાણસી પાસે આવેલા ઋષિપત્તન (સારનાથ) જઈને બોધિના ઉપદેશ દ્વારા ધર્મચક્ર પ્રવર્તાવ્યું. 2. તેમણે રાજગૃહ, નાલંદા, શ્રાવસ્તી, કપિલવસ્તુ, વૈશાલી, કોશામ્બી, પંચાપ ઇત્યાદિ સ્થળોએ વિહાર કરતા રહી ધર્મોપદેશ આપ્યો. 3. છેવટે તેઓ ગયા ખાતે પરિનિર્વાણ પામ્યાં.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.