GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે.
2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે ?
I. પ્રેમાનંદ ભટ્ટ
II. નરસિંહ મહેતા
III. દલપતરામ

ફક્ત I અને II
ફક્ત II
ફક્ત I
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો.
2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું.
3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી.
4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.

માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વિધાન : શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ ?
દલીલો :
I. આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય.
II. હા. ગરીબ માબાપને આ રીતે જ કંઈક રાહત મળશે.

ફક્ત દલીલ I મજબૂત છે.
ફક્ત દલીલ II મજબૂત છે.
દલીલ I અથવા II મજબૂત છે.
દલીલ I કે II પૈકી કોઈ મજબૂત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ?
I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.
II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.
III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત I
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ?
I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ
II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ
III. ગાયકવાડ પૅલેસ, વડોદરા
IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

ફક્ત II અને IV
ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP