GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે.
2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ?

હર્ષદમાતા
રાણક દેવી
વિંધ્યવાસિની દેવી
બહુસ્મરણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
1773 ના નિયામક ધારા (Regulating Act of 1773) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.
2. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા.
3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (Tribunal) (CAT) ના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે ?
1. કેન્દ્રીય મુલ્કી સેવાઓ
2. કેન્દ્ર હેઠળની મુલ્કી સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ (Civilian employees)
3. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ (Secretarial staff of the Parliament)
4. સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ

1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. કેખુશરો કાબરાજી
II. વાઘજીભાઈ આશારામ ઓઝા
III. ડાહ્યાભાઈ ધોળશાજી
IV. જયશંકર 'સુંદરી'
a. મુંબઈ ગુજરાતી નાટક મંડળી
b. શ્રી દેશી નાટક સમાજ
c. વિક્ટોરિયા નાટક મંડળી
d. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી

I-c, II-b, III-a, IV-d
I-a, II-b, III-c, IV-d
I-a, II-c, III-b, IV-d
I-c, II-d, III-b, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે.
III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

ફક્ત I
ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP