GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું. II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી. III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો. II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં. III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ? I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ III. વી. પી. મેનન IV. કે. એમ. પાનીકર