GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. 2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે. 3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.