GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.

ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તીજોરી બીલો (Treasury Bills) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ બિલો જોખમરહિત અને ખૂબ જ તરલ (highly liquid) ગણવામાં આવે છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેનું વેચાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવે છે.
3. બેંક ઓફ ઈન્ડિયા તીજોરી બિલોને ખરીદી શકતી નથી, ફક્ત વાણિજ્ય બેંકો અને બિન બેંકીંગ નાણાકીય નિગમો (NBFCS) તેની ખરીદી કરી શકે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે.
2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે.
3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે.
4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં.
તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP