GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે થયેલ સંધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સેલ્યુકસે કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશ ચંદ્રગુપ્તને સુપ્રત કર્યા.
2. સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી મૌર્ય સમ્રાટ સાથે લગ્નસંબંધ બાંધ્યો.
3. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ સેલ્યુકસને સુપ્રત કર્યો.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે.
3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ?
1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો.
2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો.
3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો.
4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો.

1, 2, 3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.
2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.
3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.

ફક્ત 2 અને 3
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આપેલ તમામ
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP