GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે. 2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે. 3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને તે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે. 4. ગ્રામ ન્યાયાલયની બેઠક એ જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV આ બાબતે સાચાં છે ? i. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વેહીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે. ii. GSLV નો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iii. PSLV નો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iv. GSLV નો ત્રીજો તબક્કો, ક્રાયોજેનિક ટેક્નોલોજી પર આધારિત છે.