GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.

માત્ર 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.
II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું.
III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection)
IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.

ફક્ત I અને IV
I, II, III અને IV
ફક્ત II, III અને IV
ફક્ત I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શૅર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ઈક્વિટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દ્વિપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ?

કાવેરી
ગોદાવરી
મહાનદી
ક્રિષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે.
બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

ફક્ત III અને IV
ફક્ત I અને II
I, II, III અને IV
ફક્ત I, II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP