GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગોવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા મૂકવામાં આવેલાં સ્થાનિક શહેરી સંસ્થા સુધારાઓ (Urban Local Bodies reforms) પૂર્ણ કરનાર છઠ્ઠું રાજ્ય બન્યું છે. અન્ય પાંચ રાજ્યો ક્યાં છે ?
આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર
કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ
આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા
છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ