GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ?
i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે.
ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે.
iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.

ફક્ત i અને iii
ફક્ત ii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સાતપુડા ગિરિમાળાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો.

રાજમહાલ, મહાદેવ, મૈકલ અને રાજપીપળા
આપેલ પૈકી કોઈ પણ નહીં
રાજપીપળા, મૈકલ, મહાદેવ અને રાજમહાલ
રાજપીપળા, મહાદેવ, મૈકલ અને રાજમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી.
2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં.
3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.

1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો.
આપેલ બંને
1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.

ફક્ત ii અને iii
ફક્ત i,iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP