GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે. 2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ 3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે. 4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.