GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી.
2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે.
3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે.
4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.

ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.
2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે.
3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.
4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે.
2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે.
3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP