GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે. 2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે. 3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે. 4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ વિધાન: જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે. તારણો: I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે. II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.