કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે. 2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. 3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે BUJU'S સાથે ભાગીદારી કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ ભાગીદારી હેઠળ BYJU'S વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ–ગુણવત્તાવાળા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ કાર્યક્રમોની મફત એક્સેસ પ્રદાન કરશે. 2. BYJU'S એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે આકાશ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસ્તાવિત ધોરણ 11 અને 12ના 3000 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ પણ આપશે. 3. તેનો ઉદ્દેશ મહત્વાકાંક્ષી જિલ્લાઓની સરકારી શાળાઓમાં બાળકોને વિના મૂલ્યે પૂરક શિક્ષણ સંશાધનો પૂરો પાડવાનો છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.