GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
1857ના વિપ્લવ દરમિયાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ઘડાયેલી યોજના મુજબ પ્રથમ વડોદરા પર હલ્લો કરી, ખંડેરાવને પદભ્રષ્ટ કર્યા બાદ ગુજરાતમાં અંગ્રેજોના શાસનને નાબુદ કરવાનું ધ્યેય હતું. આ યોજનામાં મુખ્ય વ્યક્તિઓ નીચેના પૈકી કોણ હતાં ?
1. મહારાજા ખંડેરાવનો સાવકો ભાઈ બાપુ ગાયકવાડ
2. પાટણના મગનલાલ વાણિયા
3. આણંદના મુખી ગરબડદાસ

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ?

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે.
તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે.
સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે.
જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ધોળાવીરામાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે ?
1. તાંબુ ગાળવાની ભઠ્ઠી
2. શંખ અને ધાતુની બંગડીઓ
3. સોનાનાં ઘરેણાં

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?

5 : 19
6 : 17
5 : 17
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP