GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ?

વિદેશી દેવું.
કહેવું મુશ્કેલ છે
બાહ્ય દેવું
આંતરિક દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે.
II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં
લોકસભા
આવો કોઈ નિયમ નથી
રાજ્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, ii, iv અને v
ii, iii અને iv
i, iv અને v
i, iii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો
I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.
II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.
III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે.
IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત I
II અને III
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP