GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

આવનાર સમયમાં વ્યાજ દર વધશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ?

બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત.
રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત.
તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત.
તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ).

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.
'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે.
II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે.
III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ.
IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.

II અને III
II અને IV
I અને IV
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે.
અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.
II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.
III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છે
નીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો.

વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
આપેલા બધા વિધાનો સાચા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે.
ફક્ત વિધાન (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP