GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે. ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે. iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં એ કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ? i. સેકેરીન ii. ફ્રૂક્ટોઝ iii. સુક્રોઝ iv. એસ્પાર્ટેમ (aspartame)
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય. iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ‘‘ગારુડી'' લોકસમુદાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ સમુદાયના લોકો ગરુડ પક્ષી પકડવાના કસબના કારણે જાણીતાં છે. ii. આ સમુદાયના કેટલાક લોકોનો વ્યવસાય રાવણહથ્થા ઉપર ગીત ગાઈ ભિક્ષા માંગવાનો છે. iii. આ સમુદાયનો પેટા સમુદાય, નાગમંદ્રા, નાગના બારોટ મનાય છે,
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માનવ વિકાસ અહેવાલ 2019 (Human Development Report-2019) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ અહેવાલ પ્રમાણે 189 દેશોની યાદીમાં ભારત 129મા ક્રમે આવેલ છે. ii. 2017માં 130 મો ક્રમ ધરાવતું ભારત 1 ક્રમ ઉપર આવેલ છે. iii. આ યાદીમાં સ્વીડને પુનઃ ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. iv. આ અહેવાલ મુજબ 2005-06 થી 2015-16 સુધીમાં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી.