GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.
2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ વડી અદાલતોની હકૂમત છે ?
1. મૂળ હકૂમત
2. અપીલીય હકૂમત
3. રેકર્ડ ન્યાયાલય
4. ન્યાયિક સમીક્ષાની સત્તા

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બે ___ ખડક સ્તરો વચ્ચે ___ ખડક સ્તરની વિશિષ્ટ ગોઠવણીને કારણે કેટલાક પ્રદેશોમાં ખોદવામાં આવતા કૂવામાં જલદાબક્રિયાને કારણે કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવે છે.

પારગમ્ય, રેતી
રેતી, પારગમ્ય
અપારગમ્ય, પારગમ્ય
પારગમ્ય, અપારગમ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

ધ્રાંગધ્રા નાટક મંડળી
મોરબી સુબોધ નાટક મંડળી
હળવદ દેશી નાટક મંડળી
વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો.
2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા.
3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP