કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. 2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. 3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે. 2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. 3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.