GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.

ફક્ત ii અને iii
ફક્ત iii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે.
ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે.
iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે.
iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

ફક્ત i અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કોઈપણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ___ કરશે.

ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે.
આપેલ પૈકી એક પણ નહીં
જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે.
પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફૂડ પ્રોસેસીંગ મંત્રાલય (Ministry of Food Processing Industrics) (MOFPI) નવી દિલ્હી ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને અન્ય સબસીડી માટે અનેક યોજનાઓ ધરાવે છે. ગુજરાતમાં કઈ એજન્સી MOFPI ની યોજનાઓના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે ?

કૃષિ નિયામકની કચેરી, ગુજરાત
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ
ગુજરાત એગ્રીકલ્ચરલ એન્ડ ફાર્મ્સ બોર્ડ
ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડીયા, ગુજરાત પ્રાદેશિક કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
આપેલ તમામ
મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP