GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
એજન્ડા 21 વિશે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે. 2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે. 3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તી ગણતરી 2011 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતમાં પશ્ચિમ બંગાળ એ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે. 2. 2001 થી 2011 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃધ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃધ્ધિ કરતાં વધુ હતી. 3. સિક્કીમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.