GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં. 2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ. 3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ? ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. 2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે. 3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.)
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.