GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ? 1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. 2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે. 3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે. 4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.