Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. (a) નવજીવન સાપ્તાહિક (b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી (c) પ્રજા હિતવર્ધક સભા (d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા (1) ઊકાભાઈ પ્રભુદાસ (2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ (3) મોહનદાસ ગાંધી (4) શ્યામજી કૃષ્ણ વર્મા
Revenue Talati Exam Paper (28-02-2016)
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?