GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ? i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો ii. માથાદીઠ આવકમાં વધારો iii. વસ્તીમાં વધારો
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1885 – 1920 દરમ્યાન જુની, ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નીચેના પૈકી કોણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? i. ડાહ્યાભાઈ ધોળશાજી ii. અમૃત કેશવ નાયક iii. બેરીસ્ટર નૃસિંહ વિભાકર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં દેવીપૂજક લોક સમુદાયની ખાસ સાંકેતિક શબ્દભંડોળ ધરાવતી ‘પારસી’ બોલીના સંદર્ભે જોડકાં જોડો. a. મધવો b. માઢ c. ગણેશકાકા બેસાડવા d. ચોવન કરવું i. ચોરી કરવી ii. જમવું iii. પોલીસ iv. દારૂ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે. ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે. iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે. ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે. iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે. iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.