GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોપયોગ (applications) ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ ___ પ્રકારનો ઉપગ્રહ છે.

દૂર સંવેદન (Remote sensing)
સંદેશાવ્યવહાર
વૈજ્ઞાનિક
હવામાન શાસ્ત્રીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મ્યાનમારનું ચલણ યાંગ છે.
II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.
III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.
IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.

ફક્ત I અને IV
ફક્ત I, II અને III
I, I, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે.
2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે.
3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઈલેક્ટ્રીક મોબીલીટી મિશન પ્લાન 2020 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ યોજનાનો હેતુ હાઈબ્રીડ / ઈલેક્ટ્રીક વાહનો વિકસાવવાનો છે.
2. આ યોજના ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. - ટેક્નોલોજીનો વિકાસ, માંગનું સર્જન, પાઈલોટ પ્રોજેક્ટ અને ચાર્જીંગ માટેનું આંતરમાળખું.
3. વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રીક કાર નવી કારના વેચાણનો 40% હિસ્સો બનશે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

ફક્ત I, II અને III
ફક્ત II, III અને IV
I, II, III અને IV
ફક્ત I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP