GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે.

આપેલ તમામ
બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts)
એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા
FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દ્વિપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ?

કાવેરી
ક્રિષ્ણા
મહાનદી
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે.

લેણદેણની તુલા (Balance of Payments)
આપેલ પૈકી કોઈ નહીં
ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity)
ચલણ સમાનતા (Currency Equalization)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.

માત્ર 1 અને 3
માત્ર 1
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે.

સેન્દ્રીય ખાતર
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP