GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.
2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે.
3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચુલના મેળા બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આ મેળામાં આદિવાસી યુવકો “ગોદડીનો ઝઘડો’’ કરે છે.
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાનાં આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે 'ચૂલનો મેળો’ ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.
2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
હિંદ મહાસાગરમાં લશ્કરી અને વેપારી નૌકાજહાજોની ગતિવિધિઓનું નિયંત્રણ-દેખરેખ રાખવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા નીચેના પૈકી કયા ઉપગ્રહનું ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું?

ગરૂડનેત્ર
સમુદ્રનેત્ર
સિંધુગરૂડ
સિંધુનેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP