GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. 2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. 3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.