GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે.
2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.
૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે.
4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.

માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું.
II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું.
III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.

ફક્ત I
I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેંક છે.
2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસૂસી પૂર્વેક્ષણ (Reconnaissance)
3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો ?

નવમી યોજના
દસમી યોજના
અગિયારમી યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણન પ્રાપ્ત થયું છે ?

કોરોનાક્યોર
કારોનાવીર
કોરોનાઝીન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP