GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે. (II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ? (I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે. (II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. (III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે. (IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.