GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ? 1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર. 2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે. 3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ. 4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં ઉપકર (Cess) લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ? ઉપકર (Cess)એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. 2. ભારતનું નાણા આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે. 3. ઉપકર માટે ભારતના એકત્રિત ભંડોળથી અલગ એવું સમર્પિત ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ? 1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે. 2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે. 3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે. 4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.