GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ. III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે. IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘X’, રહીશ ને તેમણે તા. 01-04-2018 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 31-03-2021 ના રોજ રૂા. 4,50,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 4 લાખ છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 1,25,000 છે. શ્રીમાન 'Z', રહીશને તેમણે તા. 01-10-2012 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 01-10-2020 ના રોજ રૂા. 95,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 90,000 છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 10,000 છે. આવકવેરા ધારા અનુસાર કર કપાત કરવા અંગે આપનો અભિપ્રાય આપો.
શ્રીમાન ‘Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘X’ અને શ્રીમાન 'Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.
શ્રીમાન 'X’ અને શ્રીમાન ‘Z' ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X'ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે. ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે. iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે. ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.