GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના જોડકા જોડો.
યાદી I
i. પડતર હિસાબી પદ્ધતિ
ii. ભંડોળ પ્રવાહ પત્રક
iii. રોકડ પ્રવાહ પત્રક
iv. ગુણોત્તર વિશ્લેષણ
યાદી II
1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર
2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે
3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.
4. રોકડ અને રોકડ સમકક્ષ
નીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ

i - 2, ii - 1, iii - 4, iv - 3
i - 4, ii - 3, iii - 1, iv - 2
i - 3, ii - 4, iii - 2, iv - 1
i - 4, ii - 3, iii - 2, iv - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ?

સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ x
આપેલ પૈકી એક પણ નહીં
અન્ય કોઈ પ્રકલ્પ
પ્રકલ્પ y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પેમેન્ટ બૅન્કો સંબંધિત નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકોને ધિરાણ લોન આપી શકતી નથી.
II. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે.
III. પેમેન્ટ બૅન્કો ડેબિટ કાર્ડ આપી શકે છે.
IV. પેમેન્ટ બૅન્કો ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી.

II અને III
I, II અને III
I અને II
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે.

ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર
કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર
કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર
જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP