GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો. 2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન’’ થી દર્શાવેલ છે. 3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે. 4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે. 1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો