GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે. II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે. III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ? 1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. 2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. 3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.