GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ. i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહો iii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ. iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએ ઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે. શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બર્નોલી પ્રયત્ન ના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/નો ખોટું/ખોટા છે ? i. દરેક પ્રયત્નમાં બે સંભવિત પરિણામો હોય છે. જ્યાં ‘સફળતા’ (p) અને ‘નિષ્ફળતા’ (q) છે. ii. કોઈ પણ પ્રયત્ન માટે સફળતાની સંભાવના ‘p’ સમાન રહે છે; iii. વિવિધ પ્રયત્નોના પરિણામો આંકડાશાસ્ત્રીય રીતે સ્વતંત્ર હોય છે.