GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?

T, P
T, R
R, Q
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય પ્લેટ ___ સુધી વિસ્તારિત છે.

આપેલ બંને
પાકિસ્તાનના કિરતાર પર્વત
મ્યાંમારના રખાઈન પર્વત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કાયદા સમક્ષ સમાનતાના આપવાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં
કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુતઃ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દિવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ?
1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી.
2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે.
3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા.
ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું.
iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.

i,ii અને iii
આપેલ પૈકી કોઇ નહી
ફક્ત iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP