GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. 2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે. 3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મ્યાનમારનું ચલણ યાંગ છે. II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે. III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા. IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.