GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે.
(II) SFCs ના કાર્યો IFCI જેવા છે.
(III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે.
(IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (IV) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો.
(II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ.
(III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું.
ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

માત્ર (II)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
(I) અને (II) બંને
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ સલામતીનો ગાળો સુધારવાની પધ્ધતિ નથી ?

સ્થિર પડતર ઘટાડીને
સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને
વેચાણ કિંમતમાં વધારો
વેચાણ જથ્થામાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે.
(II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે.
(III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.

બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
એકપણ સાચું નહિં.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP