GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. 2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે. 3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા. 1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ. 2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો. 3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ. 4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યા વિધાનો સત્ય છે ? 1. બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. 2. તેની લંબાઈ 266 કિ.મી. છે અને કુલ જલ સંગ્રહ વિસ્તાર (catchment area) એ 8674 ચો.કિ.મી. છે. 3. બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સિપુ છે અને બનાસ નદીની જમણી તરફની મુખ્ય ઉપનદી ખારી નદી છે. 4. આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2019માં ગુજરાતમાં વરસાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 2. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો હતો. 3. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો. 4. તે વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 1176 મીમી વરસાદ થયો હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.